મોરબી: મોરબી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી અવની ચોકડી પાસે સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલીકા વિસ્તારનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના બે ફુટના ઓટલા ઉપરાંત છ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા રોડની બહાર કાઢવામાં આવેલ છે, તે ઉપરાંત તે દુકાનોના ગ્રાહકોનાં વાહન પાર્કીંગ પણ છ ફુટના ઓટલાથી આગળ ચાર ફુટ સુધી કરવામા આવતુ હોવાથી રાહદારી રસ્તો એકદમ સાકડો બની જતો હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે સાકડા રસ્તા ઉપરથી પસાર થવુ પડે છે. તેમજ આજુબાજુની સોસાયટીની બહેનો દિકરીઓને પણ ના છુટકે આવા ગેરકાયદેસર દબાણના કારણે સાકડા રસ્તાના કારણે ત્યા થી ફરીને પસાર થવુ પડે છે.
જ્યારે આજુબાજુની સોસાયટીના નાના બાળકો માટે તો ત્યાથી પસાર થવુ અત્યંત જોખમી બની ગયેલ છે અને વારંવાર આ ગેરકાયદે દબાણના કારણે અકસ્માતનાં બનાવો પણ બને છે. તથી અવની ચોકડીની આજુબાજુની સોસાયટીના રહીશોને આ અનિધકૃત ઓટલા તથા છાપરાના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે.
તેમજ અવની ચોકડી પાસેની સોસાયટીના રહીશો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે નરસંગ ટેકરી થી હિરાસરી સુધીનો રોડ થવાનો હોય તથા અવની ચોકડીથી હનુમાન મંદિર સુધીનો રોડ કરવાનો હોય તો રોડ થાથ તે પહેલાં આ વધારાના દબાણો દૂર કરવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI - અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેન્સર અંગેના જુદા...
એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી
મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ માં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ ઉપરાંત બે બેંક સમાજવાડી સ્કૂલ અને જથ્થાબંધ સામાનના વિક્રેતા આવેલા હોવાથી નાના મોટા વાહનો રોડની બંને બાજુ અવ્યવસ્થિત પાર્કિંગ...
અગાઉ અધિકારીઓની મુલાકાતમાં મળેલા પ્રશ્નોમાંથી ૧૫૦નો હકારાત્મક નિકાલ : અન્ય પર કાર્યવાહી પ્રગતિ હેઠળ
આજે ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લાના ૯ ગામડાઓની મુલાકાત લઈ લોકોને મળતી સવલતો અને તેમની સમસ્યાઓની સમીક્ષા કરશે
લોકોની સુખ સુવિધા વધારવા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની નિયમિતતા સુનિશ્ચિત કરવા કલેક્ટર કે.બી. ઝવેરીનો આદેશ
મોરબી જિલ્લામાં જરૂરી સેવાઓ અને સવલતોથી...