Tuesday, September 17, 2024

મોરબી : કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીમાં કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે તા ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે પરમ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

જેમાં તા. ૧૧ ને રવિવારના રોજ પોથી યાત્રા યોજાશે જે ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રુક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોની દિવ્ય ઉજવણી કરાશે તે ઉપરાંત તા. ૧૨ ને સોમવારે હરિદર્શનદાસ સ્વામીની મોટીવેશનલ સ્પીચ, તા. ૧૪ ને બુધવારે ભવ્ય લોકડાયરો જેમાં માયાભાઈ આહીર, યોગેશભાઈ ગઢવી સહિતના કલાકારો પધારશે તા. ૧૬ ના રોજ ડો. જ્ઞાનવત્સલસ્વામીજીની મોટીવેશનલ સ્પીચ અને તા. ૧૭ ને શનિવારે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં બ્રીજરાજ ગઢવી, સાગરદાન ગઢવી અને પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારો જમાવટ કરશે.

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના યજમાનપદે રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર