Friday, September 20, 2024

ગુજરાત માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવાશે : જિજ્ઞેશ કાલાવડિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતમાં તાકાતવર સંગઠન નાં નિર્માણ માટે 15 ડિસેમ્બર થી શરૂ થશે સદસ્યતા અભિયાન

દરેક જિલ્લામાં પત્રકાર સ્નેહ મિલન નું આયોજન : ગાંધીનગર ખાતે મળેલ ABPSS ની કોર કમિટી બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો

ગાંધીનગર : ગાંધીનગરના અખબાર ભવન ખાતે આજરોજ મળેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. આ પ્રદેશ કોર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત રહેલા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતુ કે દેશનાં 20 થી વધુ રાજ્યોમાં પત્રકારો નાં હિત માટે સતત સંઘર્ષરત સંગઠન નાં ગુજરાત વ્યાપી વિસ્તરણ માટે તમામ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 15 ડિસેમ્બર થી સ્નેહ મિલન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે જેની શરૂઆત જામનગર જિલ્લા થી કરવામાં આવશે. સંગઠન સાથે જોડાયેલા પત્રકારો નાં સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પત્રકારો પર અસામાજિક તત્વો ની કનડગત વધી રહી છે ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેના એકમાત્ર સહારા તરીકે કાર્યરત છે. સરકાર દ્વારા નાના અને મધ્યમ અખબારો નો એકડો કાઢી નાખવાની નીતિનો તેમણે વિરોધ કર્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ વ્યક્તિઓ માટે પણ યોગ્ય પોલીસી બનાવવા તેઓ સરકાર સમક્ષ માંગ રાખશે. સંગઠન નું પ્રદેશ માળખું હાલ તુરંત વિખરી નાખવાનો નિર્ણય સર્વ સંમતિ થી લેવામાં આવ્યો હતો અને 33 જિલ્લાની યાત્રા બાદ સક્રિય પત્રકારો નો સમાવેશ કરી તેનું પુનર્ગઠન કરવામાં આવશે. આજની બેઠકમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક, દિનેશભાઈ ગઢવી, સુજલ મિશ્રા,ધવલ માકડિયા, સમ્રાટ બૌદ્ધ,મુસ્તાક દિવાન,બહાદુરસિંહ પરમાર, જનકસિહ નેહરા, નુરુદ્દીન કપાસી, પંકજ પટેલ,ઈમ્તિયાઝ ગજન, અશોક ખાંટ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયવીર યાદવ, દિનેશભાઇ શર્મા, દશરથભાઇ કાટીયા, જયંતિભાઇ ઠાકોર સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર