Sunday, September 8, 2024

ગોર-ખીજડીયા ગામે અલખધણી ગૌશાળા ખાતે રામધૂન અને સંતવાણીનું ભવ્ય આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ગોર-ખીજડીયા ગામે આવેલ અલખધણી ગૌશાળા સ્થાપક અંબારામ ભગતની વાર્ષીક પૂણ્ય તીથી નીમીતે તા. ૨૭-૦૭-૨૦૨૪ ને શનીવારના રોજ સવારથી રામધુન અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં તા. ૨૭-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૫:૦૦ કલાકથી રામધૂન બોલાવવામાં આવશે અને સાંજના ૭:૦૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે તેમજ શનીવાર રાત્રે ૯:૦૦ કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર ભગવતીબેન ગૌસ્વામી (ભજનીક), મિલન પટેલ (ભજનીક), અશોક ગોંડલીયા (તબલસી), રજાકભાઈ (શરણાઇના શુર), તથા રાજુભાઇ મકવાણા (બેન્જા માસ્તર) આ કલાકારો દ્વારા શ્રોતાઓને ભજનનું રસપાન કરાવવામાં આવશે. ગ્રામજનો તથા ભજન રસીકોને આ કાર્યક્રમમાં પધારવા અલખધણી ગૌશાળા દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તેમજ વધુ માહિતી માટે કાંતિભાઈ મો:- ૯૯૦૯૦ ૦પરરર, તથા મુનાભાઈ મો:- ૬૩૫૨૫ ૭૭૮૬૨ નંબર સંપર્ક કરવો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર