મોરબીથી વાંકાનેર ગૌમાસ ભરીને લઈ જતી રિક્ષા ને ઝડપી પાડતા ગૌરક્ષક અને હિન્દુ સંગઠન
મોરબી ગૌરક્ષક અને હિન્દુ સંગઠન દ્વારા પોલીસને સાથે રાખી ગૌમાસ ભરીને લઈ જતી રિક્ષા પકડી પાડી
મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન રિષદ દિલ્હી ગૌરક્ષક ભાઈઓ ને ચોટીલા હરેશભાઈ ચૌહાણ દ્વારા બાતમી મળી હતી કે મોરબી થી એક પિયાગો રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાની હોય એવી હકીકત માહિતી મળતા મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકો દ્વારા વોચ રાખીને બેઠા હતા ત્યારે મોરબી બાજુથી વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલની બાજુમાં એક પિયાગો રીક્ષાનંબર GJ 36.W.0715 રીક્ષા આવતા તેનો પીછો કરીને પોલીસ સ્ટાફને સાથે રાખી રીક્ષા પકડી હતી. આ રીક્ષામાં અંદર ચકાસણી કરતા રીક્ષા અંદરથી મોટા મોટા પશુનું માસ મળી આવેલ હતું અબોલ જીઓની જીવ હત્યા કરીને આ માસને વાંકાનેરમાં વેચવામાં આવી રહ્યું હતું
આવા મોટા પ્રમાણમાં જે જીવ હત્યા થઈ રહી છે જેમકે ગુજરાત રાજ્યમાં આવા કોઈ મોટા પશુઓ કાપવાની પરમિશન નથી છતાં કેની રહેમ દ્રષ્ટિથી આવું મોટું નિયંત્રક ચાલી રહ્યું છે જો યુપી મા અને અનેક રાજ્યોમાં ખુલ્લેઆમ વેચાતા માસ મટન ઈંડાની લારીઓ બંધ કરાવવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં તો કોની ભલામણથી અને રહેમ દ્રષ્ટિથી આવા મોટા સડયંત્ર અને જીવ હત્યા કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યા છે તે પણ સવાલ ગૌરક્ષકમાં અને હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે
મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં કે.બી બોરીચા હિન્દુ યુવા વાહિની દિનેશભાઈ લોરીયા, ગૌરક્ષક ચેતનભાઇ,ચંદ્રકાંતભાઈ પાટડીયા,જયકિશનભાઇ આહીર,જયદીપભાઇ ભલગામડીયા પાર્થભાઈ નેસડિયા તેમજ મોરબીના ગૌરક્ષક ભાઈઓને આ બાબતની જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં મોરબીના ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી ભાઈઓ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ને દોડી આવ્યા હતા