પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં અનલોક અંગે રાજ્ય સરકાર દ્વારા વીરવાર પર નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારના અનલોક સ્ટેટમેન્ટ પર ખુશીની લહેર જોવાઈ રહી છે પરંતુ સાંજે સીએમઓએ કહ્યું કે અમે 5 સ્ટેપમાં અનલોક કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ સરકારમાં એક સીએમ છે અને ઘણા સુપર સીએમ છે. મુખ્યમંત્રી બોલે તે પહેલાં બધા સુપર સીએમ બોલે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉનના અંતને લઈને મૂંઝવણ ચાલી રહી છે. ગુરુવારે રાજ્ય સરકારના એક વરિષ્ઠ મંત્રીએ અનલોકલાગુ કરવા માટે પાંચ સ્તરીય વ્યૂહરચનાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતના થોડા સમય બાદ રાજ્ય સરકાર દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે રાજ્યમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટઅને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે કડકાઈમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવશે. એક પત્રકાર પરિષદમાં રાહત અને પુનર્વાસ પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં લોકડાઉન સમાપ્ત કરવા માટે પાંચ સ્તરીય વ્યૂહરચના પર કામ કરવા જઈ રહ્યા છે. ૫ ટકાથી ઓછા કોવિડ પોઝિટિવ દર વાળા ૧૮ જિલ્લાઓને લોકડાઉનમાંથી મુક્ત કરવામાં આવશે. થાણેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને અનલોક 2 માં દેશની આર્થિક રાજધાની મુંબઈનું પણ નામ સામેલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વેડટ્ટીવારે મુંબઈમાં બધા માટે લોકલ ટ્રેનો ન ખોલવાની પણ વાત કરી હતી. જાણવા મળ્યું છે કે ગયા રવિવારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બ્રેક ઘી ચેઇન અભિયાન હેઠળ રાજ્યવ્યાપી કડકાઈમાં થોડી છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી.
