મોરબી: ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબીમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 17-05-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે.
જેમાં આવતીકાલે 20-05- 2024 ના રોજ રાત્રે હાસ્ય દરબારનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતના જાણીતા અને લોકોના ચહિતા મનસુખબાપા વસોયા પધારશે તો હાસિયરસિકો ને પધારવા સ્વામિનારાયણ મંદિર દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

