અંકીતા ઠક્કર CAની પરીક્ષામાં ઉતિર્ણ થતાં સેવાકાર્ય થકી ઉજવણી કરતો ઠક્કર પરિવાર
દીકરી CA ફાઈનલની પરીક્ષામાં ઉતિર્ણ થતાં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઉજવણી કરતા ગીતાબેન રાજેશભાઈ ઠક્કર
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે અંકીતા ઠક્કર CA ફાઈનલ ની પરિક્ષામાં ઉતિર્ણ થતાં તેમની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સંતાનો ની શૈક્ષણિક સિધ્ધીઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમની સુપુત્રી અંકિતાની શૈક્ષણિક સિધ્ધીની ઉજવણી પ્રસંગે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ- લોહાણા મહાજન, મોરબી), ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ સન્માનિત કરી શુભકામના પાઠવી હતી.