મોરબી જિલ્લાએ સમગ્ર ભારત અને વિશ્વભરમાં ઓદ્યોગિક નગરી તરીકે ખૂબ નામના મેળવી છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતું મોરબી હાલ ઘણી સમસ્યાઓ થી પીડાય રહ્યું છે.
એક સમયે ભારતભરમાં સવથી વધુ માથાદીઠ આવક ધરાવતું મોરબી અને મોરબી વાસીઓ હાલ સસ્તી રાજનીતિમાં સપડાઈ ગયા છે. ચૂંટણી સમયે મીઠા વાયદાઓ કરતા નેતાઓને જાણે મોરબી અને મોરબીની જનતા માટે હવે કોઈ રસ રહ્યો જ ના હોય તેવું લાગી રહ્યું છે.
જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન તેમજ જિલ્લાની પરિસ્થિતિની વાત કરીએ તો કદાચ એક આર્ટીકલ તો ટૂંકું પડે. ગટરના પ્રશ્ન હોય કે પાણી , ટ્રાફિક ની સમસ્યા હોય કે રોડ રસ્તા, મોરબીની જનતા મચ્છુ નદીને માતા તરીકે પૂજે છે, પરંતુ હાલ મચ્છુ નદીની હાલત પણ ખૂબ ખરાબ છે, નદીના મોટા ભાગના પટમા ગાંડી વેલ ઉગી નીકળી છે, અવારનવાર અરજીઓ કરવામાં આવે છે પરંતુ તંત્રને તો મચ્છુ નદીની સારસંભાળ રાખવા માટે કોઈ રસ નથી. જિલ્લાની જનતા આ તમામ પ્રશ્નો થી ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો કેટકેટલા પ્રશ્નો સત્તાના ડરના કારણે બહાર આવતા નથી.