મોરબી: આગામી તારીખ 23 અને 24 ડીસેમ્બર 2023 ના રોજ દ્વારકા ખાતે યોજાનાર આહીરાણી મહારાસ અંતગઁત આજે તારીખ 16 ડિસેમ્બરના રોજ મોટા દહીસરા મુકામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ. હર્ષાબેન મોર,નીતાબેન હુંબલ,ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા..
આ તકે મોટા દહીસરા મુકામે મોરબી જીલ્લા આહીર કમઁચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરા ના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ. તેમજ બધાં માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે મોરબી જીલ્લા આહીર કમઁચારી મંડળ ના સભ્યો અજયભાઈ ડાંગર, રાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા,તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા. સાથે સાથે વવાણીયા મુકામે માતૄ રામબાઈ માતાજીના ચરણો મા પણ આમંત્રણ પત્રીકા અપઁણ કરી આમંત્રણ આપવામા આવ્યુ.
વવાણીયા ખાતે રામબાઈમા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું.રાવતભાઈ કાનગડ દ્રારા ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામા આવી. તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસ ના અધ્યક્ષ કલ્પનાબેન જરુ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જશુભાઈ દ્વારા 11000રૂ નું યોગદાન આપવામાં આવ્યું.અને મહંત પ્રભુદાસ બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા.
આગામી તારીખ 08 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 08:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર થી મોરબી ના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે...
આ સાથે તારીખ 09 એપ્રિલ...
આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા...