Sunday, September 8, 2024

ABVP મોરબી દ્વારા TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.

TET TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVP ની અને બધા પરિક્ષાર્થીઓની માંગણી છેકે કાયમી સરકારી શિક્ષકોની ભરતી કરો અને જ્ઞાન સહાયક યોજના રદ કરો. આની પહેલા પણ ABVP દ્રારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે હાલ ગુજરાતનાં દરેક જિલ્લામાં ઉગ્ર રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ABVP મોરબી શાખા દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તો મોરબી જિલ્લા ના તમામ TET TAT ના ઉમેદવારોને મોટી સંખ્યામા જોડવા ABVP આહવાન કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર