માળીયા તાલુકાના રાસંગપર ગામ ખાતે સમસ્ત આદ્રોજા પરિવાર સ્નેહમિલન સમિતિ દ્વારા તા.૧૫/૫/૨૦૨૨ ને રવિવાર ના રોજ નવચંડી યજ્ઞનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું હોમ હવન અને બીડું હોમ્યા બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આદ્રોજા પરિવાર નો સ્નેહમિલન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો
કોરોના મહામારી નાં બે વર્ષ બાદ સમસ્ત આદ્રોજા પરિવાર નો સમુહમાં પ્રસંગ હોય બહોળી સંખ્યામાં પરિવાર નાં સભ્યો હોંશ ભેર ઉપસ્થિત રહ્યા હતા
