Monday, September 23, 2024

રાજપૂત કરણી સેના દ્વારા આયોજીત એકતા યાત્રાનું ગુરૂવારે મોરબીમાં આગમન થશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કાર રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ ભોજન સમારંભ યોજાશે

રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ મંદિર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા 1 મે 2022થી 16 મે સુધી અલગ અલગ જિલ્લામાં પ્રસાર થશે ત્યારે મોરબી જિલ્લામાં તા 12 ના રોજ આવશે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે.ત્યારે 12મી એ સાંજે 4 વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કાર રેલીનું પણ આયોજન કરાયું છે અને આ કાર રેલી શહેરના અલગ અલગ માર્ગ પરથી નીકળી શનાળા ગામ ખાતે આવેલ રાજપૂત સમાજ વાડીએ પહોચશે અને સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું છે
આ એકતા યાત્રામાં તમામ મોરબી વાસીઓને જોડાવવા કરણીસેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાએ આમંત્રણ આપ્યુ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર