દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા
દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશન ના તમામ હોદેદારોને કેજરીવાલ એ આમંત્રિત કર્યા છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો ને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી આપને તે મુજબનો સમય ફાળવી શકાય…
અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ રહશે જેથી આપના પ્રશ્નો ની ચર્ચા માટે પૂરતો સમય રહશે. ઉદ્યોગકારો એ પોતાની વિગત પરેશ પારીઆ-આપ નેતા મોરબી 8732918183 નંબર પર મોકલી આપવી
મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે.
જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં...
માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબનો બનાવ જાહેર થયેલ આ કામે...
મોરબી જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડ અને કંપોસ્ટ પીટના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે...