ટંકારા : ટંકારા ખાતે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 30 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.
ટંકારા ગામે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ગઈકાલે તા. 01 મે ના રોજ ઉજ્જવલા દિવસના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2 ની ઉજવણી કરવામાં આવી હત જેમાં ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન અંગે ઉપયોગી જાણકારી આપી હતી.
મોરબી: જાગૃત નાગરિક નો 181 પર કોલ આવતાની સાથે મોરબી 181 ટીમ બાળકી ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકનું કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ આ બાળકી અંદાજિત 3-4 કલાક થયા અહીં દુકાન પાસે બેસેલ છે તેનું નામ કે પપ્પાનું નામ બાળકી કહેતી નથી અને...
માળિયા સહિત જિલ્લામાં સર્જાતી પરિસ્થિતિના નિરાકરણ માટેનું આયોજન કલેક્ટર કે.બી ઝવેરી દ્વારા સરકાર સમક્ષ રજૂ કરાશે
મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે શક્ય તેટલું ઓછું નુકસાન થાય અને જિલ્લામાં તરાજી ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સતત ચિંતિત રહ્યા છે. ત્યારે ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે...
ફિલ્ડનો સ્ટાફ લોકો સાથે ટેલીફોનીક સંપર્ક ન જાળવે તો ગેરશિસ્તના પગલાં લેવાશે: પીજીવીસીએલના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરને કલેક્ટરની સુચના
ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે. બી ઝવેરીનીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મોરબીમાં સર્જાયેલ અતિવૃષ્ટિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા...