મોરબી તાલુકા નારણકા ગામના વતની અને અમદાવાદમાં જીવરાજ પાર્કમાં રહેતા પરસોતમભાઈ આશારામભાઈ શ્રીમાળીનું દુખદ અવસાન થયેલ છે. તેઓ હાલ નાગરિક સંરક્ષણ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પોલીસ કર્મી તથા પરિવારમાં ગમગીની વ્યાપી છે.
સન ૧૯૮૧ થી ૧૯૮૩ સુધી નારણકા ગામની હાઈસ્કૂલમાં આચાર્યશ્રી મનજીભાઈ વાધડિયા પાસે અભ્યાસ કરેલ પરસોતમભાઇ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા. ૧૯૮૪માં ગુજરાત પોલીસમાં ભરતી થયેલ. ૧૯૯૦ થી ૧૯૯૧માં CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) કેન્દ્રમાં ફરજ બજાવી ચુક્યા હતા. ૧૯૯૨માં NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ-બ્લેક કમાન્ડો) નવી દિલ્હી ખાતે તેમણે ટ્રેનિંગ લીધી હતી. ૧૯૯૭ થી ૨૦૦૨ મંત્રીઓની સલામતી શાખામાં ફરજ બજાવી ચુક્યા હતા.