Saturday, September 21, 2024

હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા નર્મદાના નીર ન ઠલવાઇ તો વિકટ પરિસ્થિતી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ

ઝાલાવાડ સહિત હળવદ તાલુકા માં સતત પડી રહેલા હીટ વેવ વચ્ચે હળવદ તાલુકા માં ઠેર ઠેર પાણી ની અછત વર્તાઈ રહી છે ખાસ તો હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે. આથી નર્મદા નીર ન ઠલવાઇ તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે ખાસ તો રણ કાંઠા વિસ્તાર ના અંતરિયાળ ગામો માં 42 ડીગ્રી તાપમાન વચ્ચે પાણી ની કટોકટી સર્જાઈ રહી છે સાથે પશુધન માટે પણ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે
હળવદ તાલુકા માં હાલ ઉનાળાના મધ્યાહ્નને જો તંત્ર સ્મયસર આયોજન ન કરે તો પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે એમ છે. જેમાં હળવદનો બ્રાહ્મણી-2 ડેમ હવે ખાલી થવાની તૈયારીમાં છે. હવે આ ડેમમાં માત્ર પાંચ કે સાત દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી જીડબ્લ્યુએલવાળા 125 એમએલડી પાણી અને પાણી પુરવઠા બોર્ડ દરરોજ 19 એમએલડી પાણી ઉપાડે છે. આથી હવે ડેમ ડુકી ગયો હોય આવનારા થોડા દિવસોમાં જ પાણીની મોટી હાડમારી સર્જાશે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાંકાણીએ જણાવ્યું હતું કે, આ હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ખલાસ થવાની તૈયારીમાં હોય તેમના દ્વારા નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત કરીને વહેલીતકે આ ડેમને નર્મદાના નિરથી ભરી દેવા માંગ ઉઠાવી છે.
નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત બાદ પણ હજુ આ ડેમને નર્મદા નિરથી ભરી દેવાયો ન હોય ફરીથી રજુઆત કરી તેમજ મોરબી ખાતે કલેકટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.ત્યારે ટુક સમયમાં હળવદનો આ ડેમ નર્મદાથી નહિ ભરાય તો હળવદ તાલુકાના 22 ગામોને પાણી માટે વલખા મારવાની નોબત આવશે. જ્યારે માળીયા અને હળવદના અગર વિસ્તારમાં 46 ફેરા સાથે પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા હોવાનું પાણી પુરવઠાના અધિકારીએ જણાવ્યું હતું.

રિપોર્ટ – રવી પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર