Saturday, September 21, 2024

કોંગ્રેસે યજ્ઞ કર્યો ભગવાન સરકાર ને સદબુદ્ધિ આપે તથા મોરબીને સરકારી મેડિકલ કોલેજ પરત મળે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા ની સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા મોરબીમાં સામાજિક સંગઠનો સામજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એક રચનાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં 5 દિવસથી શનાળા રોડ ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે.

પ્રથમ દિવસે મોરબી જિલ્લાના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા
બાદમાં આજે કોંગ્રેસ દ્વારા આજે ધરણા સ્થળ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપી મોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજ પરત કરે તેવી ભગવાન પાસે પાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારા, રાજુભાઈ કાવર,મહેશભાઈ રાજ્યગુરુ, કે.ડી.પડસુમ્બિયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનોં અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સરકારદ્વારા આગાઉ જે ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ આપે તેવી ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર