રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી આવતીકાલ તારીખ ૦૨ એપ્રિલને બુધવારે બપોરના ૧૨:૦૦ વાગ્યે એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે જેથી સિંચાઇ યોજનાના નીયાણવાસ માં આવતા ગામોને...
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૨૫/૦૩/૨૦૨૫ થી ૦૧/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત...
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન 2304 કરોડની વસુલાત કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ નહી ભરનાર મિલકત ધારકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે જેમાં એક લાખ થી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. તેમજ ટેક્સ શાખા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન ૨૩૦૪ કરોડ વસુલાત કરવામાં આવ્યા...