ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે ની રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અંગે માહિતીગાર કરવા એપીએમસી ખાતે યોજાયેલ નમો કિશન પંચાયતમાં હાજર રહેલ બંને જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ ખેડૂતલક્ષી કામો હાજર રહેલ કાર્યકર્તાઓને તેમજ ખેડૂતોને જણાવ્યા હતા સાથે જ દરેક ખેડૂત કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ સંઘાણી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા તેમજ હળવદ-ધાંગધ્રા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નમો કિસાન પંચાયત ચાલુ થયા બાદ થોડીજ મિનિટોમાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી તો એક એ પણ વાત સામે આવી છે કે હાલ ઉનાળો ચાલુ થઈ ગયો હોય જેથી જે હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભારે બફારાના કારણે કાર્યકર્તાઓ અને ખેડૂતોને અકળામણ થઈ હતી.
મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.
જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા રાજપુત કરણીસેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો સાથે હજારોની સંખ્યા રાજપુત કરણી સૈનીકો જોડાયા હતા. તેમજ મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને...
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત...