રાજ્યમાં ડુપ્લીકેટ બિયારણો , દવાઓ, ખાતરનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કાંતિલાલ બાવરવાની માંગ
ગુજરાત રાજ્યમાં ડુપ્લીકેટ અને ગેરકાયદેસર બિયારણ, ખાતર, દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતનો તાત લાચાર નિઃસહાય કેમ? આ ગેરકાયદેસરનો કારોબાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને છુટ આપવામાં આવે તેવી માંગ સાથે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને કરી રજુઆત.
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે છેલ્લા વર્ષોમાં ગુજરાત મમાં ડુપ્લીકેટ બિયારણો, દવાઓ, ખાતર વગેરે નું વેચાણ મોટા પાયે થઇ રહ્યું છે. અને આનો ભોગ જગતનો તાત એટલે કે ખેડૂતો થઇ રહ્યા છે.
આ નકલી બિયારણો, ખાતર, બિયારણ થી ખેડૂતોને તેની નીપજ નિષ્ફળ જતા કે ઓછી નીપજ થતા નુકશાન ભોગવવાની નોબત આવે છે. ખેડૂતો આત્મહત્યાના માર્ગે જવા મજબુર બને છે.
ગુજરાતના ખેડૂતોને ઘણો આપત્તિઓ સામે લડવાનું આવે છે. જેમ કે અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે કુદરતી આપતીઓ સામે લડવાનું છે. તો કૃત્રિમ માનવ સર્જિત આપતી ઓ જે આવી રહી છે. જેવી કે નકલી બિયારણ, નકલી દવા, નકલી ખાતર વગેરે ને કારણે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.
આ માનવસર્જિત આપતી સામે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેની પર આડકતરી રીતે રોક લગાવી ને સરકાર જાણે કે આ ડુપ્લીકેટ, ખાતર, દવા ખાતર ના ધંધાર્થીઓ ને બચાવવાનું કામ કરવા માટે જાણે કે સરકાર રીતસર બહાર આવી ગઈ હોય તેવો માહોલ હાલમાં બનવા પામેલ છે. આમ આ ગુજરાત પોલીસની આ ડુપ્લીકેટ ખાતર બિયારણ અને દવા ઉપર થઇ રહેલ કાર્યવાહી અવરોધવાનું કામ કરી ડુપ્લિકેટ કારોબારના માફિયાઓને છાવરવાનું કામ કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ સમજવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ એક પરીપત્ર તે મુજબ હવે થી પોલીસ વિભાગ કોઈ ખેડૂત કે અન્ય કોઈની આ ડુપ્લીકેટ માફિયાઓ સામેની ફરિયાદ ખેતીવાડી વિભાગની પૂર્વ મંજુરી વગર લઇ શકશે નહિ. અને તાત્કાલિક કાર્યવાહી નહિ થઇ શકવાના કારણે આ માફીયાઓને પોતાના કરતૂતો છુપાવવા માટે પુરાવાઓ નાશ કરવાનો સમય મળશે. આમ હવે આ ડુપ્લીકેટ માફિયાઓને ગુજરાતમાં કોઈનો ડર રાખવાની જરૂર નથી ? સરકાર દ્વારા આ બાબતે ડુપ્લીકેટ માફિયાઓ તરફી હોય તેવો માહોલ હાલમાં દેખાય રહ્યો છે.? અને ખડૂતો લાચાર, અસહાય છે.
તો આમ આ ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર આ પરીપત્ર રદ કરવા તેમજ આવા માફિયા લોકો સામે કડક હાથે કર્યવાહી કરવામાં આવે અને જો આવું કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની કાંતિલાલ બાવરવાએ ચિમકી ઉચ્ચારી છે.