રેશનકાર્ડ કાર્યરત રાખવા માટે 30 એપ્રિલ સુધીમાં તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજીયાત
મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે 30 એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ એપ્રિલ-૨૦૨૫ બાદ રેશનકાર્ડના લાભો કાર્યરત રાખવા e-KYC ફરજીયાત કરવામાં આવ્યુ છે જે તમામ કેટેગરીના રેશનકાર્ડ ઘારકોને લાગુ ૫ડશે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૦૦% e-KYC પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. જો સમયમર્યાદા e-KYC પૂર્ણ નહી થાય તો સબસડી હોલ્ડ થઇ શકે છે તેમજ સરકારના અન્ય લાભો માટે ૫ણ e-KYC આવશ્યક છે.
આથી રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e- KYC કરી શકે છે. તાલુકા કક્ષાએ મામલતદાર-ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E, Post Office તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી e- KYC કરી શકાય છે. ઉપરાંત નજીકના વ્યાબી ભાવના દુકાનદાર મારફતે ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ બે રીતે e-KYC કરાવી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e- KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e- KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરે બેઠાં e-KYC કરી શકે છે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી કરાવી શકે છે. જે રેશનકાર્ડ ઘારકોના ખોટા આઘાર સીડીંગ થયેલ છે તેઓ નજીકના વ્યાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ પર જઇ PDS+ એપ્લીકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી e-KYC અંગેની પ્રક્રિયા કરાવી શકશે.
મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી ખાતે તા.૩૦/૦૪/૨૦૨૫ સુઘીની તમામ જાહેર રજામાં e-KYC માટેની કામગીરી શરૂ રહેશે. જેથી જાહેર જનતાને કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહી તેની ખાસ તકેદારી રાખવા તેમજ e-KYC કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.