પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સહિતના અનેક સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.ત્યારે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજીત કાર્યક્રમ “જાગો ગ્રાહક જાગો” માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીને તેમના સર્વાંગી સમાજ ઉપયોગો અને રચનાત્મક કાર્યો, સામાજીક સેવાઓ બદલ સિલ્ડ આપી સન્માનિત કરવા સાથે તેમના નિઃસ્વાર્થ કાર્યોને બિરદાવ્યા હતા.
મુસ્કાન સંસ્થાના સભ્યોએ પણ લાલજીભાઈ મહેતા સહીત અગ્રણીયોનો આભાર વ્યક્ત કરવા સાથે પોતાની સંસ્થાને મળેલ માન સન્માન સંસ્થાના સભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેવાનું જણાવ્યુ હતુ.
મોરબી DDO જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગ થી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,...
મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલ મરબી શહેરમાં ગંદકી ફેલાવતા આસામીઓ અને પ્રતિબંધીત પ્લાસ્ટિકના વપરાશકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૧૮ માર્ચથી થી ૨૪ માર્ચ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં પ્રતિબંધિત...
મોરબી શહેરમાં પશુઓની રંજાડ રહેતા અનેક વખત લોકોએ મહાનગરપાલિકા ને રજુઆત કરી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાંથી 19 દિવસમાં ૨૫૪ પશુઓ પકડી આસપાસની ગૌશાળામાં મુકવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાં તા. ૦૩ માર્ચ થી ૨૨ માર્ચ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની...