ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પની શરુઆત સવારે ૭:૩૦ કલાકેથી કરવામાં આવશે. એકત્ર થયેલ રક્તથી સોહમદત્ત બાપુની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં અર્પણ કરવામાં આવશે. ત્યારે સ્વૈચ્છિક રીતે આ રક્તદાનમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
મોરબીમાં તાજેતરમાં તારીખ ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગથી દેવ ફાઉન્ડેશન -વડોદરા દ્વારા હસ્તકળાને પ્રોત્સાહન આપવા પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના કાર્યક્રમોનો ઉદેશ્ય એ છે કે ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક કલા વારસો, હસ્તકલા નવી પેઢીમાં વિલુપ્ત ના બને તેમજ આ...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપિલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેંશન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તે પૈકી ૮ હોસ્પિટલમાં ૪૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૦૨ સ્કુલમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની...
મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ ૨૭/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨...