Friday, February 14, 2025

મોરબી: નવયુગ વિદ્યાલય ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવયુગ વિદ્યાલય – મોરબી દ્વારા આજે વેલેન્ટાઈન દિવસને બદલે વિદ્યાર્થીઓ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સનાતન ધર્મરૂપી વેદના અમોક વાક્યોને, ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ને સાર્થક કરનારું પર્વ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમા ધોરણ- ૦૪ થી ૦૮ ના વિદ્યાર્થીઓ મોટાભાગે પોતાના માતા પિતા અને દાદા દાદી તેમજ ગુરુજન સાથે આ દિવ્ય કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં યોગ વેદાંત સમિતીના સુરેન્દ્રનગરથી વિદ્વાન વક્તા દેવિકાબેનની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતા-પિતાને લગતી રહસ્યમય તેમજ કાર્તિકેય અને ગણેશજી ને લગતી આધ્યાત્મિક વાતો કરી વિદ્યાર્થીઓ અને માતા પિતાને ભાવવિભોર બનાવી દીધા હતા, તેમજ વિદ્યાર્થીઓ માતા-પિતાનું મહાત્મ્ય સમજી અને જીવનમાં પ્રેરણાદાયક વચનોથી બંધાઈને આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી અને આવનારી પેઢીને એક નવો ચિતાર આપ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર