મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને શોભેશ્વર મંદિરના મહંતે મહાકુંભમાં સ્નાન કરી સંન્યાસ ધારણ કર્યો
મોરબી માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે પ્રયાગ રાજ સ્થિત કુંભ મેળામાં મૌની અમાવસ્યા ના સ્નાન માટે ગયેલ મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ , માર્કેટિંગ યાર્ડની સામે આવેલ સિદ્ધએશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગિરી મહારાજ અને શોભેસ્વર મંદિરના હીરા ગિરી બાપુએ ત્યાં જઈને થાનાપતી જુનાગઢ પંચ દશનામ જુના અખાડાના ગુરુ મહારાજ બુધગીરીજી મહારાજ દ્વારા નાગા સન્યાસીની સંસ્કાર વિધિ કરીને સન્યાસ ધારણ કરી લીધેલ છે
તેમજ તેમની સાથે ગયેલ બધા આવતી કાલે સવારે પાછા આવતા હોવાથી તેમના સામૈયા વાજતે ગાજતે આવતી કાલે 4 તારીખને મંગળવાર ના રોજ સવારે 9 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી કરવાના હોવાથી બધાને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સાથે તેઓની સાથે મોરબીથી ગયેલ રીટાબેન, જયશ્રીબેન વાઘેલા , સુધાબેન વડગામા , સુનિતાબેન પટેલ , ગીતાબેન સોલંકી , લતાબેન પંડ્યા , મંજુબેન , અરુણાબેન, હકુબેન , દુષ્યંતભાઈ તેમની સાથે આ બધી જ વિધિમાં પ્રયાગ રાજ કુંભમાં હાજર રહ્યા હતા.