વાંચો ભોરણીયાની લીલાના પુરાવા
કન્યા છત્રાલયના ટ્રસ્ટી બેચર હોથી જ સ્વીકારે છે પ્રિન્સિપાલ લંપટ…?
આજે ટ્રસ્ટી બેચરભાઈ હોથીએ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી પરંતુ આમતોર પર એકે પટેલ અને ત્રંબકભાઈ ફેફર સાથે રહેતા હોય અથવા તો એજ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે પરંતુ આ બાબતે એકે પટેલ અને ત્રંબક ફેફર પ્રેસ મીડિયા સમક્ષ ન આવ્યા
છેલ્લા લાંબા સમયથી લંપટ પ્રિન્સિપાલ અને લુચ્ચા ટ્રસ્ટીઓ સામે એકલા હાથે લડત આપતા એક મહિલા પ્રોફેસરે આજે પોતાના ન્યાંય માટે મોરબી કલેક્ટરને આવેદન આપ્યું હતું જેના કારણે કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓએ લુલા બચાવ કરવા જાહેરમાં આવુ પડ્યું હતું અને અડકતરી રીતે તેમનો માનીતો પ્રિન્સિપાલ કયાકે ને ક્યાંક ખોટો છે તેવું સ્વીકર્યું હતું.
આ અંગે ખુદ ટ્રસ્ટી બેચર હોથી દ્વારા સ્વીકારવામાં આવ્યું તે અંગે વાત કરી તો પત્રકારો સામે એક ઇન્ટરવ્યૂમાં તેમને જણવ્યું હતું કે ભોગબનનાર મહિલા પ્રોફેસર કઈ કરવા નથી માંગતા વાચકો શબ્દો સમજજો કઈ કરવા નથી માંગતા આવુ તેમને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું તેવું ખુદ બેચર હોથી બોલે છે મતલબ કે ભીરણીયા દ્વારા કઈ ખોટું તે મહિલા પ્રોફેસર સાથે કરવામાં આવ્યું હતું. તો શું ખોટું કરવામાં આવ્યું હતું તે હવે આપણે સમજી
મહિલા પ્રોફેસર જેઓએ માત્ર પાંચ – સાત દિવસ જ નોકરી કરી તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધું તેઓ સાથે શું બન્યું હતું તે પહેલા જાણી કે શુ આ મહિલા પ્રોફેસર પસે આટલી લાયકાત હતી કે તેઓને નોકરી ઉપર લઇ શકાય જી ના માત્ર ભીરણીયની ખરાબ દાનત ના કારણે જ વગર લાયકાતે તેમને પાર્ટ ટાઈમે લેવામાં આવ્યા હતા કેમ કે ભોરણીયાની નજર તેમની ઉપર કદાચ તેઓ વિદ્યાર્થી હતા ત્યાર થી હતી.
નોકરી ઉપર લાગ્યાના બે ત્રણ દિવસ બાદ જ ભોરણીયાએ પોતાની ચેમ્બરમાં બોલાવી આ મહીલા પ્રોફેસરના અંગત ભાગોને સ્પર્શ કર્યો જેના કારણે મહીલા પ્રોફેસર ત્યાંથી નારાજ થઈ જતા રહ્યા અને બાદમાં નોકરી છોડીને દીધી જે અંગેના પૂરતા પુરાવા અહીં આપ્યા છે.
મહિલા પ્રોફેસરે આ અંગેની વાત તેમના સાથી મહીલા પ્રોફેસર ધર્મિષ્ઠાબેનને કરતા તેઓએ ભોરણીયા સામે ટ્રસ્ટી મંડળ સામે અવાજ ઉઠાવ્યો અને જેના કારણે તેમને 10 વર્ષની નોકરીથી હાથ ધોવો પડ્યો.
અહીં મુદ્દાની વાત એ છે કે બને મહિલા પ્રોફેસર તો હવે નોકરી ઉપર નથી પરંતુ જેના કારણે આ આખી મહાભારત થઈ છે તે લંપટ પ્રિન્સિપાલ તો છે જ અને તે શું છે તે ક્યાંક ને ક્યાંક ખુદ બેચર હોથી સ્વીકારી રહ્યા છે તો આવાના હાથમાં કન્યા છત્રાલાયની દીકરીઓનું ભવિષ્ય સોંપાય ખરું આ સહુથી ગંભીર સવાલ છે…?