Friday, September 20, 2024

મોરબીના ચોરીના ગુન્હામાં છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો ઈસમ અમદાવાદના ચાંગોદરથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લાના ચાંગોદર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શંભુસીંગ જેમલસીંગ કહાર રહે.બાસુચક, શેખપાના, થાના સરૈયા જી. મુજફ્ફરપુર (બિહાર) હાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ પેરોલ ફર્લો સ્ટાફને બાતમીવાળી જગ્યાએ તપાસમાં મોકલતા ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શંભુસિંહ જયમંગલસિંહ કહાર ઉ.વ.૪૫ રહે.બાસુચક થાના સરૈયા જી. મુજફ્ફરપુર (બિહાર) વાળાને ચાંગોદર ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ્સ કંપની ખાતેથી મળી આવતા ઇસમને પકડી પાડી હસ્તગત કરી ચોરીના ગુન્હામાં આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આમ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર