Sunday, September 22, 2024

મોરબીના રાજનગરમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે. 

ત્યારે આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા.૨૬ ઓગસ્ટે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ તથા રાત્રે ૧૨:૧૫ કલાકે હરસિદ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ કાર્યક્રમમાં તમાંમ રાજનગર તથ આસપાસના સોસાયટીના તમામ ભાઈઓ બહેનોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નોધ:- દેરેક ભક્તજનોએ પોતાની આરતી ખાલી થાળી તૈયાર કરી લાવવી. આરતી માટે જરૂરી સામાન જેવા કે કોળીયો, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા અપવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર