Monday, September 23, 2024

મોરબી જિલ્લામાં 21 હજારથી વધુ બાળકો આંગણવાડી, બાલવાટિકા, પ્રાથમિક શાળામાં પા પા પગલી પાડશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શાળા પ્રવેશોત્સવ થકી ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો; મોરબી જિલ્લામાં ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયાન કાર્યક્રમો યોજાશે

મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અન્વયે જિલ્લાની ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ મળી કુલ ૨૧,૬૩૮ બાળકો શિક્ષણના એક નવા અધ્યાયમાં પા પા પગલીઓ પાડશે. જ્યારે ધોરણ ૯ માં ૬૪૩૩ બાળકો પ્રવેશ મેળવશે.

સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, ઉપરાંત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળાઓમાં કરવામાં આવશે. જેમાં ૪૩૮૬ બાળકો આંગણવાડી, ૮૯૩૯ બાળકો બાલવાટિકાઅને ૮૩૧૩ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

૧૦૦% નામાંકન માટે દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં રાજ્યના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા રાજ્યની તમામ શાળાઓની મુલાકાત ત્રણ દિવસ સુધી લેવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના ફળસ્વરૂપે શાળાઓમાં ૧૦૦% નામાંકન સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી છે. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે અને શાળામાં સ્થાયીકરણનું પ્રમાણ વધ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર