મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા – જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્ય માં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમા રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા નારણભાઈ લાભુભાઈ વરાણીયા (ઉ.વ.૩૨) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ...
મોરબી શહેરમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા યુવકે આરોપીના બહેન જીઆરડી ફરજ પર ના આવતા ગેર હાજર મુકતા આરોપીએ ફોન પર જીઆરડી જવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માધાપર અંબિકા રોડ સુરજબાગ પાછળ રહેતા અને જિ.આર.ડી જિલ્લા માનદ અધિકારી તરીકે ફરજ...