PM SHRI શ્રી સજનપર પ્રા. શાળામાં NMMS પરીક્ષા 2024નું ધમાકેદાર પરિણામ
શાળાના વિદ્યાર્થીઓ સરકારશ્રી તરફથી રૂ.48000 સુધીની સ્કોલરશીપ મેળવશે
શ્રી સજનપર પ્રા. શાળાના ધો.8 ના બાળકોએ સરકાર તરફથી લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા ૨૦૨૪માં 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં શાળાના 7 વિદ્યાર્થીઓ એ 100 થી વધુ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં શાળાનું ગૌરવ વધારેલ છે.
આ તમામ બાળકોને અને એમને આખું વર્ષ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને સમગ્ર શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.