માળીયા (મિ) : દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયા મિયાણાની દેવ સોલ્ટ પ્રા.લી. ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન કંપનીનો સ્ટાફ હજાર રહ્યો હતો.
ઉજવણી દરમ્યાન આ કાર્યક્રમમાં કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા, ડી. જી.એમ. કોમર્શિયલ ટોમી એન્ટની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કંપનીના સ્ટાફ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ ૫૦ જેટલા વૃક્ષોનું ઉત્સાહ પૂર્વક વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના એન્વાયરોમેન્ટ હેલ્થ એન્ડ સેફટી મેનેજર કુલદીપ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. આ દરમ્યાન તેમને ‘આપના પર્યાવરણની જાળવણી એ ઉદારવાદી અથવા રૂઢિચુસ્ત પડકાર નથી, તે સામાન્ય જ્ઞાન છે’
મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧થી૧૦ ના વાલીઓએ બંને પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
આ પ્રતિયોગિતામાં ૩૫ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી...