મોરબી જલારામ મંદિર ખાતે પિતાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં મોરબીના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા
સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની ત્રિમાસિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર પત્રકાર યોગેશભાઈ રંગપડીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ તકે યોગેશભાઈ રંગપડીયા, સંજયભાઈ પટેલ, ગૌતમભાઈ પટેલ, અભયભાઈ પટેલ સહીતનાઓએ ઉપસ્થિત રહી, તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. તે ઉપરાંત જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.