મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક સમાન છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા આ મંદિરને રીનોવેશન કર્યા બાદ કયા આધાર ઉપર અહીં મંદિર બાંધવામાં આવેલ છે તેના સ્થાનિક લોકો પાસે પુરાવા માંગતી એક નોટિસ આપવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તજનોની લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહી છે.
મોરબી જીલ્લો જાહેર થયો ત્યારથી આજદિન સુધી હજુ પણ ઘણી બધી જગ્યાઓએ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણોના ખડકલા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા એ તમામ વગદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ પર હજી સુધી પગલા કેમ નથી લેતી અને આવા લોકોની આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થાનોને જ કેમ ટાર્ગેટ બનાવી રહી છે તેઓ અણીયારો સવાલ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યો છે આ મંદિર વર્ષો પુરાણું છે અને અહીંના જે સ્થાનિક વેપારીઓ છે તેમણે એક સામાન્ય મંદિરમાંથી રીનોવેશન કરી અને આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક હનુમાનજીનું ત્યાં સ્થાપન કર્યું છે ત્યારે મોરબી નગરપાલિકા લોકોની લાગણી સાથે દૂર વ્યવહાર કરી રહી હોય તેઓ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર...
મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા...
મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં રાત્રે ૦૯:૦૦ કલાકે શરુ થશે અને આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે જેથી આ...