મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય, તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો. સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો. સાવનભાઈ અઘારા, ડો. સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
મોરબી જીલ્લામાં તા.૦૭ માર્ચ થી તા.૧૬ માર્ચ દશ દિવસની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા માટે ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો...
મોરબીના લોકોને કોઈપણ સમયે ઇમરજન્સી રક્ત પૂરું પાડતું અને મોરબીની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સાથે રહીને અનેક સેવાઓ માટે ચર્ચામા રહેતું મોરબીનું યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગયકાલે 08/03/2025, એટલે કે વિશ્વ મહિલા દિવસ, જ્યારે આખું વિશ્વ અનેક રીતે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને મુખ્યત્વે આ દિવસે, જ્યારે...