મોરબી: મોરબી તાલુકાના જોધપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માધવજીભાઇ વનજીભાઈ દંતેસરીયા ઉવ.૩૬ રહે.જોધપર નદી જોધપરગામ તા.જી.મોરબી વાળા ગત તા.૧૦-૦૫-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ પણ કારણસર જાતે ગળે ટુપો ખાઈ જતા માધવજીભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

