વાંકાનેર: વાંકાનેરના વીશીપરામા કોઈ કારણસર ઝેરી પદાર્થ પી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉ.વ.૫૫ રહે. વિશીપરા વાંકાનેર વાળા સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વિશીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર જેરી પદાર્થ પી જતા સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

