મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર જનોને આ સ્નેહમિલન કાર્યક્રમ પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદા માધ્યમ છે તેમજ પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. તો પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે. ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ 26 મેના દિવસે મોરબી તાલુકાના બેલા (રંગપર) ખાતે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારોલા પરિવાર દ્વારા સાંજે 4 કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. અને ત્યારબાદ સાંજે 6-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 8-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
માલધારી શખ્સે ઝાટકાના તાર લાકડીથી તોડી કર્યું નુકસાન
હળવદમાં બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં વાવેલ જીરુંના મોલને ભૂંડ અને અન્ય પશુઓથી રક્ષણ માટે વાડીની ફરતે સોલાર ઝાટકા લગાવેલ હોય ત્યારે પોતાના બકરા લઈને ચરાવવા આવેલ શખ્સે વાડીના માલીક પ્રૌઢ ખેડૂતને આ ઝાટકા બંધ કરવાનું કહેતા ખેડૂતે ઝાટકા બંધ કરવાની...
મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મદીના...