આ વર્ષે એશિયા કપ જૂન-જુલાઈમાં યોજાનાર છે, પરંતુ ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, એશિયા કપ રદ કરી શકાય તેવું અનુમાન છે. જો આ વર્ષે એશિયા કપ રદ કરવામાં નહીં આવે તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને આ ટૂર્નામેન્ટ માટે બીજી ટીમ મોકલવાની રહેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ, હાલમાં જય શાહ છે. હકીકતમાં, 18 જૂનથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે, ટીમ ઈન્ડિયાને જૂનના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડ માટે રવાના થવું પડશે, જ્યાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ખેલાડીઓ આઈપીએલ 2021 ના સમાપન પછી જ યુકે જવા રવાના થશે, કારણ કે ભારતીય ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં 14 દિવસ કડક ક્વોરીન્ટાઇન પ્રકિયાથી પસાર થવું પડશે. કોરોના વાયરસને કારણે, આઇસીસી અને ઇસીબી એક બાયો સિક્યોર બબલ બનાવશે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડને 14 – 14 દિવસની સખત ક્વોરીન્ટાઇન પ્રકિયાથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં,ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સમક્ષ એક મોટી સમસ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ જૂનનાં અંતમાં એશિયા કપ યોજવાનું મન બનાવી લીધું છે.તેમાં, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી,રીષભ પંતનું નામ સામેલ છે. પરંતુ આ ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તે સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ભારતની સિરીઝ પણ યોજાવાની છે. જોકે આ સ્થિતિનો તોડ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે છે, પરંતુ શ્રીલંકામાં ટી -20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપ માટે, બીસીસીઆઈને તેમના બીજા વર્ગની ટીમ મોકલવી પડશે, જેમાં મોટા ખેલાડીઓ નજરે નહિ પડે. જો કે, આઈપીએલ 2021 ના પ્રદર્શનના આધારે આવી બીજી ટીમ બનાવવામાં આવી શકે છે, જે એશિયા કપમાં રમી શકે છે. તેની સાથે જોડાયેલા સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે ભારત પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
જાણો ક્યાં કારણે BCCIએ બે ટીમોની ઘોષણા કરવી પડશે, એક રમશે WTC ની ફાઇનલ.
વધુ જુઓ
BCCI એ કરી જાહેરાત,19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે IPL, આ દિવસે રમાશે ફાઇનલ મુકાબલો
ભારતમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની (બીસીસીઆઈ) બહુચર્ચિત ટી-20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની બાકીની મેચો અંગે ઘણી વાતો થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટુર્નામેન્ટની બાકીની 31 મેચો અંગે ઘણું કહેવામાં આવ્યું છે પરંતુ હવે બોર્ડના વાઇસ ચેરમેને નિવેદન આપીને તેનો અંત લાવી દીધો છે. રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી...
ભારતીય બેટ્સમેનને સદી ફટકારવા બદલ મળે છે લાખો રૂપિયા, યુવરાજ સિંહે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા ત્યારે BCCI એ તેને આટલું ઇનામ આપ્યું હતું જાણીને તમને પણ થશે આશ્ચર્ય.
દરેકને ખબર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ તેના પુરુષ ખેલાડીઓ પર પૈસા લૂંટાવે છે. દરેક ખેલાડીને વાર્ષિક કોન્ટ્રાક્ટ તરીકે 7-7 કરોડ રૂપિયા મળે છે, તેમજ મેચ ફી અને અન્ય બોનસ અલગથી મળે છે. જો કોઈ બેટ્સમેન સદી ફટકારે અથવા બેવડી સદી ફટકારે અથવા બોલર પાંચ...
શ્રીલંકા પ્રવાસ માટે જનારી ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે ટીમની કેપ્ટન્સી, જાણો ટીમનું ટૂર શેડ્યૂલ.
ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની...