Friday, October 18, 2024

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર વિરુદ્ધ નોંધાયો ગુનો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વૃદ્ધે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય અને તે વ્યાજે લિધેલ પૈસાનું ઉંચુ વ્યાજ ચૂકવેલ હોય તેમ છતા આરોપીએ વધું પૈસા પડાવવાના હેતુ વૃદ્ધ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવવા પઠાણી ઉઘરાણી કરી રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ જનતા ટાઈલ્સમા રહેતા જયંતિલાલ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૬૦) એ આરોપી રવીભાઈ રાજુભાઇ જીલરીયા રહે. મોરબી કંડલા બાયપાસ આનંદનગર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૧૨-૨૦૨૩ થી આજદીન સુધી આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ દસ્તાવેજ લઇ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ભોગ બનનાર જયંતીલાલે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨), તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર