Sunday, October 20, 2024

વાંકાનેર: પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સો અપહરણ કરી યુવકને ધોકા વડે મારમાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી બે શખ્સોએ યુવક ગાડી લઈને જતો હતો ત્યારે ગાડીમાં ચડી જઈ સાઈડમાં બેસાડી અપહરણ કરી રાજકોટના બામણબોર લઈ જઈ નીચે ઉતારી ધોકા વડે મારમારી યુવકનો ફોન પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જાની વડલા ગામે રહેતા સવશીભાઈ કાનાભાઇ ઘાંઘળ (ઉ.વ.૩૭) એ આરોપી નારણભાઈ બેચરભાઇ, નાનુભાઈ કમાભાઈ, નાજાભાઈ માત્રાભાઈ, વિપુલભાઈ ખીમાભાઇ રહે. બધા રહ. જાની વડલા તા. ચોટીલા જઈ. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૧-૨૦૨૩ ના સવારના દસ-સાડા દસ વાગ્યાના અરસામાં આરોપીઓ ફરીયાદીને આરોપી નારણભાઈની બહેન સાથે પ્રેમસબંધ હોય જે બાબતે ખાર રાખી આરોપી નારણભાઈ તથા નાનુભાઈ ફરીયાદી ટ્રક લઇને જતા ત્યારે ટ્રકમા ચડી ફરીયાદીને સાઇડમા બેસાડી અપહરણ કરી આરોપી નાનુભાઈએ ગાડી ચલાવી ફરીયાદીને બામણબોર લઇ જઇ ટ્રક નીચે ઉતારી આરોપી નારણભાઈ તથા આરોપી નાનુભાઈએ પકડી રાખી આરોપી નાજાભાઈ તથા વિપુલભાઈએ ફરીયાદીને ધોકાથી શરીરે માર મારી, ફરીયાદીનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૨૦,૦૦૦/- વાળો પડાવી લીધો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સવસીભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર