મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. મોરબી એલસીબી પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. જેમાં આરોપી સ્પામાલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ઓરલા સ્પામાં આરોપી જાનીસાર ફકીરભાઈ મીરને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧કિં.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી જાનીસાર ફકીરભાઈ મીર રહે. મોરબીવાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો તેમજ આરોપી જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળો હાજર નહી મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી પાર્ટ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૭ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઈ યોજનાની ઉપરવાસમાં આવેલ મચ્છુ -૦૨ ડેમમાંથી પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી આવતીકાલ તારીખ ૦૨ એપ્રિલને બુધવારે બપોરના ૧૨:૦૦ વાગ્યે એક દરવાજો દોઢ ફુટ ખોલવામાં આવશે જેથી સિંચાઇ યોજનાના નીયાણવાસ માં આવતા ગામોને...
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરમા પ્રતિબંધીત પ્લાસ્ટિકનુ વેચાણ કરતા વપરાશકારો અને ગંદકી કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં તા. ૨૫/૦૩/૨૦૨૫ થી ૦૧/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત...
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન 2304 કરોડની વસુલાત કરાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેક્સ નહી ભરનાર મિલકત ધારકો પર તવાઈ હાથ ધરવામાં આવી છે જેમાં એક લાખ થી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. તેમજ ટેક્સ શાખા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન ૨૩૦૪ કરોડ વસુલાત કરવામાં આવ્યા...