Sunday, September 29, 2024

હળવદના માલણીયાદ ગામે નવ વ્યાજખોરો વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: હળવદ તાલુકાના માલણીયાદ ગામે વ્યાજે લીધેલ રૂપિયા લેણદારોને આપવા છતા લેણદારો રૂપિયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપિયા મેળવવા દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાથી જયંતિભાઈ એ ટ્રેક્ટરની ટોલી નીચે પડતું મૂકી મોત નિપજાવેલ હોવાથી મૃતકના પુત્રએ નવ ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી લાલો બુલેટના ગેરેજ વાળો તથા છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત ક્રોસ રોડ, ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા નીકોલ અમદાવાદ , મહિપતસિંહ મૂળી વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના પિતાજી જયંતિભાઇએ જણાવેલ આરોપીઓ લાલો બુલેટના ગેરેજ વાળો તથા છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત ક્રોસ રોડ, ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા નીકોલ અમદાવાદ , મહિપતસિંહ મૂળીવાળા પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલ હતા તે રૂપીયા તથા વ્યાજ ચુકવવા પોતાની મિલક્તના બે ખેતરો સાત સાત વિઘાના તેમજ રહેણાંક મકાન તેમજ ગામમાં આવેલ વાળો તેમજ ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કરતા ફરીયાદીનાં પિતા જયંતિભાઇએ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ વ્હીલમાં કુદી જઇ પોતાનું મોત નીપજાવેલ હોય જેથી તેના પુત્ર ગોપાલભાઈ એ નવે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૩૦૬, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર