મોરબી ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ CBSE સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવા નાં હેતુસર જ્ઞાનિસ્ટીક કર્નિવાલ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતુ. જે અંતર્ગત LKG થી ધો-૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાણિજ્યીક કુશળતા નો વિકાસ થાય તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફુડ સ્ટોલ્સ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ.