Saturday, September 28, 2024

જુના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા તા ૦૧ જાન્યુ. સ્નેહમિલન સમારોહ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જૂના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા ૨૧ મો સ્નેહમિલન સમારોહનું તા.૦૧-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ સાંજના ૪ :૦૦ કલાકે ઉજ્જવલ પાર્ટી પ્લોટ ઘુનડા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં જુના ઘાટીલાના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવશે.

 

 

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (ધારા સભ્ય મોરબી-માળીયા વિધાનસભા), પરેશભાઇ પટેલ (અગ્રણીય બિલ્ડર – મોરબી), હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા), મનસુખભાઈ સુવાગીયા (જળક્રાંતિ, ગોક્રાંતિ, પંચમવેદના રચચિતા), દ્વિપકુમાર સબાપરા ADME, IES CIsis I officer ઉપસ્થિત રહશે. તેમજ મહેમાનોનું સ્વાગત દીપ પ્રગટાવી સ્વાગત ગીત ગાઈને કરવામાં આવશે. તેજસ્વી તારલાઓનું સન્માન મનસુખભાઇ સુવાગીયા કરશે અને જળ-જમીન કૃષી અને ગૌરક્ષા ઉપર પ્રેરક પ્રવચન આપશે અને સૌને વ્યશન મુક્તિનો સંકલ્પ લેવડાવશે. તેમજ આ કાર્યક્રમમાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.

મોરબીમાં વસતા જુના ઘાંટીલા કડવા પાટીદાર પરિવારોને આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ જે.પી. સબાપરા, ઉપપ્રમુખ શાંતિલાલ ગઢીયા, અને મંત્રી રાજેશભાઈ ડી. ઉભડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર