મોરબી: મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં માં આવેલ છે. આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો માતબર સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને રાખવા માટે બનાવેલ છે. ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? તેથી ખેડૂતો વતી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માંગણી કરી છે અને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી પીજીવીસીએલના સુપ્રીટેન્ડ ઈજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
ટંકારા સમય ફિડરમા આવતા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ...
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં...