Tuesday, September 24, 2024

આચારસહિંતા બાબતે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આચારસહિંતા અમલીકરણ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર ફરિયાદ નોંધાવી શકાશે

આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર વિડીયો તથા ફોટો સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોઈ આ ચૂંટણીમાં ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સામાન્ય નાગરીકો cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરીયાદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મોરબીને ફરીયાદ મોકલી શકે છે જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વિડીયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઈલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store (Android) તથા app store (iphone) માંથી cVIGIL એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. તથા cVIGIL મોબાઇલ એપ્લીકેશન ના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમ ના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૯૯૨૮૭ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ફરિયાદ નિયંત્રણ સેલની (૨૪ x ૭) રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે જેની મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર