Monday, September 23, 2024

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા હળબટીયાળી ગામના કુમકુમ ગ્રુપ દ્વારા પ્રાર્થના કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ 30/10/2022 ને રવિવારના રોજ મોરબી ઝૂલતા પુલની દુર્ધટનામાં મૃત્યુ પામેલા દિવંગતો શ્રદ્ધાંજલિ આપવા માટે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં સોશ્યલ પ્રવૃત્તિ કરતા કુમકુમ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી 2 મિનીટનું મૌન પાળી મૃત્યુ પામેલા 134 લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.

જેમાં ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી તેમજ અન્ય આગેવાનો,વડીલો તેમજ ભાઈઓ,બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં આ શોકસભામાં ઉપસ્થિત રહી ભગવાનને પ્રાર્થના કરી કે તેમના આત્માને શાંતિ આપે. તેમજ તેમના સ્વજનો ઉપર અણધારી આવી પડેલી આફતનો સામનો કરવાની શક્તિ આપે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર