Sunday, September 22, 2024

19મીએ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરો યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.

આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં જે કાંઈ ઘોર સ્વરૂપે આવક થશે એ પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવશે, તેમજ લોક ડાયરામા પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર